3
                112
                gu
                એક સમયે સેવક પ્રેમજી મંદિરમાં દર્શન કરી બાપાશ્રીને ઘેર ઊભો રહ્યો. તેવામાં રામપરાવાળાં કાનબા મેડા ઉપરથી ઠાકોરજીને દૂધ પાઈને હેઠળ આવ્યાં ત્યારે બાપાશ્રીએ પ્રેમજીને દર્શન દઈને કહ્યું જે, “કોરે ખસ, આ દૂધ લાવ્યાં છે તે પીએ.” પછી હાથમાં દૂધનો વાટકો લઈને દૂધ પી ગયા ને વાટકો કાનબાને પાછો આપ્યો. એવી રીતે એમનો મનોરથ પૂર્ણ કરીને અદૃશ્ય થઈ ગયા. ।।૧૧૨।।
