સંવત ૧૯૭૬ના માગશર વદ-૮ને રોજ ગામ મેડાના મંદિરમાં મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત હતું તેથી નરભેરામ પૂજારીને બાપાશ્રીને તેડી લાવવા કચ્છમાં મોક્લ્યા. તેને બાપાશ્રીએ કહ્યું જે, “વચલી મોટી મૂર્તિ પધરાવવાની ઉચ્છવણી રૂ. ૫૦૦ની મોહનભાઈ ભલાભાઈ બોલશે, તે મૂર્તિ તમારા હાથે પધરાવાય તો જાણજો જે અમે આવ્યા છીએ.” પછી નરભેરામ મેડા ગયા અને મૂર્તિ પધરાવતી વખતે મોહનભાઈને બોલાવવા ગયા, પણ તે ઉચ્છવણીના કામમાં રોકાવાથી તેમણે નરભેરામને કહ્યું જે, “મારે સાટે તમે પધરાવજો.” પછી તે મૂર્તિ નરભેરામે પધરાવી ને સૌને ઉપરની વાત કરી. ।।૭૯।।