વળી એક સમયે બાપાશ્રી છપૈયા પધાર્યા હતા, ત્યાં નારાયણસરમાં સાબોળ નાહ્યા. તે વખતે સરખેજના બ્રાહ્મણ નારાયણભાઈ ભેળા હતા. તેમણે પૂછ્યું જે, “બાપા! સાબોળ કેમ નાહ્યા?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ઠીક કર્યું.” પછી ત્યાંથી અમદાવાદ આવ્યા ને કચ્છથી કાગળ આવ્યો. તે બીજા સર્વ નાહ્યા ને બાપાશ્રી કહે જે, “અમે તો તે દિવસે જ નાહ્યા હતા, તેનો આ નારાયણ સાક્ષી છે.” ।।૪૫।।