એક સમયે રામપરામાં વાઘજી પટેલ માંદા થયા. તેને દર્શન દેવા બાપાશ્રી પધાર્યા હતા. તેમની મૂર્તિમાંથી તેજ નીકળ્યું તે થોડીકવાર રહીને પાછું સમાઈ ગયું. પછી બાપાશ્રીએ તેમની ખબર પૂછી ને બેઠા. એટલામાં તો એમના ઘરના વળામાં મોટા મોટા તેજના ગોળા વળગેલા તે ચળક ચળક થાય. તે જોઈને આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછ્યું જે, “આ શું છે?” ત્યારે બાપાશ્રી કહે જે, “જ્યાં મહારાજ ને મોટા પધારે ત્યાં અવતારાદિક દર્શન કરવા આવે તે આવ્યા છે.” પછી તે ઘડીકવાર દેખાઈને અદૃશ્ય થઈ ગયા. ।।૪૬।।