બાપાશ્રીનાં દીકરી રાધાબાને મંદવાડ ઘણો હતો ને દેહ રહે તેમ નહોતું. પછી દાક્તર મણિલાલે બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “રાધાબાને રાખો તો અમારે આપની સેવા-સમાગમનું સુખ આવે.” પછી બાપાશ્રી બોલ્યા જે, “રાધાબાને સારું થશે.” પછી બીજે દિવસે બાપાશ્રીએ તે સર્વેને કહ્યું જે, “પરચા શું? આ રાધાબાનો દેહ રહે તેમ નહોતો તે રાખ્યો એ જ પરચો છે.” ।।૮૧।।