એક સમયે વિરમગામના મંદિરમાં એક માણસ આવ્યો તેને રાત્રિએ મંદિરમાં સૂવા દીધો. પછી તે માણસ રાજકવિ હમીરદાનજીનો ટ્રંક ઉપાડી બહાર જતો રહ્યો. ત્યારે પૂજારી નરભેરામને બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “પેલો માણસ ટ્રંક લઈને બહાર જતો રહ્યો તેની કેડે જાઓ.” પછી તે તથા સાધુ ગોપીવલ્લભદાસજી આદિક કેડે ગયા. પછી એને પકડીને ટ્રંક લઈ આવ્યા. ।।૮૭।।