ગામ બામણવાના ગોવાભાઈએ બાપાશ્રીના અંતર્ધાન થયાની વાત સાંભળી ત્યારે અતિશે શોકાતુર થઈ ગયા. તેમને બાપાશ્રીએ દિવ્યરૂપે દર્શન દઈને કહ્યું જે, “આમ શોકાતુર કેમ થઈ ગયા છો? અમો સદાય સત્સંગમાં છીએ.” એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।।૧૦૧।।